ભારત અને જાપાન વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા ૧૬મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં પીએમ મોદી અને જાપાની વડાપ્રધાન સનાઈ તાકાઈ દ્વારા મહત્વની સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારોથી બંને દેશો વચ્ચેના વૈશ્વિક સહયોગને વધુ મજબૂત બનાવવામાં આવશે.
બજારના મુખ્ય પરિબળો :
છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજે ૧૨૦ નવા બિઝનેસ એગ્રીમેન્ટ થયા છે, જે ભારત માટે $૧૦ બિલિયનથી વધુનું જાપાનીઝ રોકાણ લાવશે. ભારતનો લક્ષ્ય ૧૦ ટ્રિલિયન યેનનું રોકાણ મેળવવાનો અને આગામી દાયકામાં ભારતમાં કાર્યરત જાપાનીઝ કંપનીઓની સંખ્યા બમણી કરવાનો છે. આનાથી ભારતીય અર્થતંત્રમાં મજબૂત ઉછાળો આવવાની શક્યતા છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ટેકનોલોજી ક્ષેત્રે, ખાસ કરીને AI અને IT માં બંને દેશો વચ્ચે સહયોગ વધશે. ભારતની સોફ્ટવેર ક્ષમતા અને જાપાનની પ્રિસિઝન ટેકનોલોજી સાથે મળીને વૈશ્વિક AI ડેવલપમેન્ટને મજબૂત બનાવશે. ડિફેન્સ સેક્ટરમાં ‘યુનિકોર્ન’ નેવલ રેડિયો એન્ટેના પ્રોજેક્ટ દ્વારા સહ-વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત, ફાર્મા, મેડિકલ ડિવાઇસ અને બાયોટેકનોલોજી ક્ષેત્રે પણ મહત્વના કરારો થયા છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ભારત અને જાપાનના સંબંધો વધુ મજબૂત બનશે. બંને દેશો એક મુક્ત અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે કામ કરશે. આ સમજૂતીથી ડિફેન્સ ટેકનોલોજી, મેરીટાઈમ સિક્યુરિટી અને ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ ચેઇન જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે.






