વર્તમાન કારોબારી સેશનમાં પંજાબ નેશનલ બેન્કે સાયબર સિક્યુરિટી ક્ષેત્રે મજબૂત પગલાં લેતા મોટી ફાળવણી જાહેર કરી છે. બેન્કનું કહેવું છે કે વધતા AI આધારિત સાયબર જોખમને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી બજેટના આશરે ૨૦ ટકાનો ઉપયોગ હવે સાયબર સિક્યુરિટી માટે કરવામાં આવશે.
કંપની વિશે :
પંજાબ નેશનલ બેન્કે કુલ ૭૦૦૦થી ૮૦૦૦ કરોડ સુધીનું ફાળવણી જાહેર કર્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ અંદાજે ૫૦ ટકા જેટલું વધારે છે. બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી. સુરેન્દ્રનએ જણાવ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં આ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રશ્ન નથી. બેન્ક તરફથી ફાયરવોલ સહિત વિવિધ સિક્યુરિટી ટૂલ્સના પ્રોક્યુરમેન્ટને ઝડપી બનાવવામાં આવી રહ્યું છે, જેથી નેટવર્ક વધુ મજબૂત બને.
તેમણે વધુમાં જણાવ્યું કે સાયબર ખતરો ઝડપથી ઓળખી શકાય તે માટે ઓડિટ પ્રક્રિયા હવે સતત ૨૪ કલાક અને ૭ દિવસ કાર્યરત રહેશે, જેથી કોઈપણ સમસ્યા ઝડપથી ઉકેલી શકાય.
બજારના મુખ્ય પરિબળો :
• બેન્કિંગ ક્ષેત્રમાં વધતા સાયબર જોખમને કારણે જાહેર ક્ષેત્રની બેન્કોમાં સાવચેતીનો માહોલ યથાવત છે.
• AI આધારિત રિસ્ક મેનેજમેન્ટ અંગે ઉદ્યોગ ક્ષેત્રમાં વધતી ચર્ચા.
• આરબીઆઈ અને કેન્દ્ર સરકાર તરફથી બેન્કોને વધુ સજાગ રહેવા માટેના માર્ગદર્શનો.
નાણાકીય પરિણામો :
બેન્કે તાજેતરમાં જ ૧૪ ટકા ઉછાળા સાથે ૫૨૨૫ કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. લોન બુકમાં ૧૨.૭ ટકાનો ઉછાળો અને ડિપોઝિટમાં ૯.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આવનારા સમયમાં બેન્ક ૧૨થી ૧૩ ટકા લોન વૃદ્ધિ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સ્થિર છે અને એસેટ ક્વોલિટી સુધરતી દિશામાં છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં બેન્કિંગ ક્ષેત્રમાં સાયબર સિક્યુરિટી માટે પસંદગીયુક્ત ઉછાળો જોવા મળવાની શક્યતા છે. ટેકનિકલ ચાર્ટ મુજબ PSU બેન્કો માટે સપોર્ટ લેવલ મજબૂત રહે તો બુલિશ બાયસ યથાવત રહી શકે. જોકે વધતી વોલેટિલિટી વચ્ચે સાવચેતી જાળવવી યોગ્ય રહેશે.






