વર્તમાન કારોબારી સેશનમાં રૂપિયા અને નીતિગત દિશા અંગે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. RBI ના પૂર્વ ગવર્નર દુવ્વુરી સુબ્બારાવે જણાવ્યું છે કે કેન્દ્રિય બેંકે રૂપિયાને વધુ સ્વાભાવિક ગતિ આપવા માટે ઇન્ટરવેન્શન ધીમું કરવું યોગ્ય રહેશે.
સુબ્બારાવના મત મુજબ, વધતા આયાત ખર્ચ, ક્રૂડના ઉછાળા અને વિદેશી રોકાણના આઉટફ્લો વચ્ચે બજારને સાચા ભાવ સંકેત આપવી જરૂરી છે.
બજારના મુખ્ય પરિબળો :
સુબ્બારાવના જણાવ્યા મુજબ, ક્રૂડની વધતી કિંમતો અને ઈરાન સંબંધિત તણાવને કારણે રૂપિયા પર દબાણ યથાવત છે. આ વર્ષે રૂપિયા લગભગ ૫ ટકા ઘટ્યો છે, જે એશિયાની કરન્સીઓમાં સૌથી નબળું પ્રદર્શન ગણાયું છે. RBI દ્વારા બેંકોના કરન્સી ટ્રેડ પર મૂકાયેલા નિયંત્રણો ટૂંકા ગાળાના રાહતરૂપ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતે છેલ્લા કેટલાંક વર્ષોમાં બજારને ખુલ્લું કરવાની દિશામાં પગલા લીધા છે, પરંતુ અચાનક તીવ્ર ઇન્ટરવેન્શન બજારમાં વોલેટિલિટી વધારી શકે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ક્રૂડના ઉછાળાને કારણે ઓઈલ આયાત આધારિત સેક્ટરમાં દબાણ છે. કરન્સી અનિશ્ચિતતા વચ્ચે IT અને ફાઈનાન્સિયલ સેગમેન્ટમાં પણ પસંદગીયુક્ત ધોવાણ નોંધાયું છે, જ્યારે ફાર્મા અને ડિફેન્સિવ સેક્ટરમાં મર્યાદિત ખરીદી જોવા મળી રહી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ રૂપિયામાં બેરિશ બાયસ યથાવત છે. રેઝિસ્ટન્સ ઉપર મજબૂત ક્લોઝિંગના અભાવે રૂપિયામાં નબળાઈ યથાવત રહી છે. જો સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.
સુબ્બારાવે જણાવ્યું કે વ્યાજદરનો વધારો અંતિમ વિકલ્પ હોવો જોઈએ અને તેને માત્ર ગંભીર પરિસ્થિતિમાં જ વાપરવો યોગ્ય ગણાય.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહેશે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી કરતા રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી.
• કરન્સી સંબંધિત સેક્ટરમાં પોઝિશન હળવી રાખવી યોગ્ય.
• કડક સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવું અનિવાર્ય.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં કરન્સી માર્કેટ રેન્જ બાઉન્ડ રહી શકે છે. જીઓપોલિટિકલ પરિસ્થિતિ અને ક્રૂડના ભાવ આગામી સેશન્સમાં બજારનું વલણ નક્કી કરશે. સુબ્બારાવના મતે સ્થિર અને સંતુલિત નીતિ ભારતમાં લાંબા ગાળે વધુ લાભદાયક સાબિત થશે.






