વર્તમાન કારોબારી સેશનમાં આરબીઆઈ દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં ૩ દિવસના વેરિએબલ રેટ રેપો (વીઆરઆર) ઓક્શન મારફતે ૨૫,૧૦૧ કરોડનું ટૂંકાગાળાનું લિક્વિડિટી ઇન્જેક્શન કરવામાં આવ્યું છે. આ ઇન્જેક્શનનું કદ સુચિત ૭૫,૦૦૦ કરોડની સરખામણીએ ઓછી માત્રામાં હોવાથી બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આરબીઆઈ મુજબ આ લિક્વિડિટી સપોર્ટ ૫.૨૬ ટકા કટ-ઓફ અને વેઇટેડ એવરેજ દરે પૂરો પાડવામાં આવ્યો છે. એડવાન્સ ટેક્સ ચૂકવણીના કારણે સિસ્ટમમાં ઉપલબ્ધ લિક્વિડિટી ઘટી હોવા છતાં, વીઆરઆર ઓક્શન માટે મર્યાદિત સબ્સ્ક્રિપ્શન liquidityના અસમાન વિતરણ તરફ ઇશારો કરે છે.
બજારના મુખ્ય પરિબળો :
• હાલ બેન્કિંગ સિસ્ટમમાં ૧૯ માર્ચ સુધી અંદાજે ૧૬,૮૭૫ કરોડની લિક્વિડિટી સાર્પ્લસ સ્થિતિ યથાવત રહી છે.
• બેન્કો દ્વારા સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટીમાં વધારે ફંડ પાર્ક થવાને કારણે ઓક્શનમાં મર્યાદિત પ્રતિસાદ નોંધાયો છે.
• આ પહેલાં ૧૭ માર્ચે આરબીઆઈએ ૭ દિવસના વીઆરઆર મારફતે ૪૮,૦૧૪ કરોડનું ઇન્જેક્શન કર્યું હતું.
• જાન્યુઆરી ૨૦૨૬થી અત્યા સુધી આરબીઆઈએ ઓએમઓ મારફતે અંદાજે ૩.૫ લાખ કરોડની લાંબા ગાળાની લિક્વિડિટી ઇન્ફ્યુઝન કરી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
• મોનેટરી સિસ્ટમમાં લિક્વિડિટીનો અસમાન પ્રવાહ યથાવત રહેતાં ટૂંકા ગાળામાં વોલેટિલિટી વધવાની શક્યતા છે.
• જો બેન્કિંગ સિસ્ટમમાં સપોર્ટ લેવલ ટકાવી રાખવામાં સફળતા મળે તો બુલિશ બાયસ મજબૂત રહી શકે છે, પરંતુ વીઆરઆર ઓક્શનમાં જોવા મળેલી મર્યાદિત માંગ ટૂંકા ગાળામાં બેરિશ બાયસ તરફ ઝુકાવ જણાવી શકે છે.
• રેટ-સેન્સિટિવ સેક્ટર્સમાં પસંદગીયુક્ત ધોવાણ થવાની શક્યતા યથાવત રહી શકે છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અનુરૂપ ગણાય છે.
• બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં કડક સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી જરૂરી રહેશે.
• રેટ-સેન્સિટિવ સેક્ટર્સમાં મર્યાદિત એક્સપોઝર રાખી ક્વોલિટી સ્ટોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં બજાર રેન્જ બાઉન્ડ વલણ ધરાવતા રહેવાની શક્યતા છે. મોનેટરી લિક્વિડિટીનું યથાવતપણું અને આરબીઆઈની શક્ય વધારાની કાર્યવાહી બજારની દિશા નક્કી કરશે. જો વીઆરઆર ઓક્શનમાં સબ્સ્ક્રિપ્શન ફરી મજબૂત થાય તો સિસ્ટમમાં લિક્વિડિટી દબાણ ઘટી શકે છે.






