HomeBusiness News - Rightભારત-UK વેપાર કરારનો અમલ: પ્રથમ દિવસે $140 મિલિયનનો શૂન્ય ડ્યુટી સાથે નિકાસ...!!!

ભારત-UK વેપાર કરારનો અમલ: પ્રથમ દિવસે $140 મિલિયનનો શૂન્ય ડ્યુટી સાથે નિકાસ…!!!

ભારત અને UK વચ્ચેના Comprehensive Economic and Trade Agreement (CETA) ના અમલીકરણના પ્રથમ દિવસે ભારત દ્વારા $140 મિલિયનથી વધુના માલની શૂન્ય ઈમ્પોર્ટ ડ્યુટી સાથે નિકાસ કરવામાં આવી છે. કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, ૨૦ થી વધુ પોર્ટ્સ, એરપોર્ટ, SEZ અને ફેક્ટરીઓ દ્વારા ૫૦ થી વધુ કન્સાઇનમેન્ટ્સ મોકલવામાં આવી છે. આ નિકાસમાં ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઈલ્સ જેવા મહત્વના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

બજારના મુખ્ય પરિબળો :

  • CETA કરાર હેઠળ લગભગ ૯૯% ભારતીય નિકાસને UK માં ડ્યુટી-ફ્રી એક્સેસ મળશે.
  • અગાઉ જે ઉત્પાદનો પર ૨% થી ૧૬% ડ્યુટી લાગતી હતી, તે હવે શૂન્ય રહેશે.
  • આ નિકાસ મુંદ્રા, નહાવા શેવા અને ચેન્નાઈ જેવા પોર્ટ્સ તેમજ મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદના એરપોર્ટ દ્વારા કરવામાં આવી છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

આ કરારથી ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઈલ્સ, લેધર, ફૂટવેર, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ મશીનરી, પ્લાસ્ટિક, બેઝ મેટલ્સ અને મરીન પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રોમાં મજબૂત ઉછાળો આવવાની શક્યતા છે. આ ક્ષેત્રોના નિકાસકારો માટે આ એક મજબૂત તક સાબિત થશે.

ભાવિ દિશા :

બ્રિટિશ હાઈ કમિશનર લિંડી કેમેરોનના મતે, આ સોદો લાંબા ગાળે દ્વિપક્ષીય વેપારમાં વાર્ષિક GBP ૨૫ બિલિયનથી વધુનો વધારો કરી શકે છે. આ કરાર બંને દેશોના GDP માં વાર્ષિક લગભગ GBP ૫ બિલિયનનું યોગદાન આપશે, જે બંને દેશોના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.

Spread the love

Most Popular