HomeBusiness News - LeftRBI દ્વારા નિયમનકારી માળખામાં મોટો ફેરફાર: 64 માસ્ટર ડાયરેક્શન્સ જાહેર અને 628...

RBI દ્વારા નિયમનકારી માળખામાં મોટો ફેરફાર: 64 માસ્ટર ડાયરેક્શન્સ જાહેર અને 628 સર્ક્યુલર પાછા ખેંચ્યા…!!!

RBI એ તેના સુપરવાઈઝરી માળખાને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. નિયમનકારી કોમ્પ્લાયન્સની પ્રક્રિયાને સરળ બનાવવાના ભાગરૂપે, RBI એ 64 કન્સોલિડેટેડ માસ્ટર ડાયરેક્શન્સ બહાર પાડ્યા છે. આ પગલાનો મુખ્ય હેતુ નિયંત્રિત સંસ્થાઓ માટે નિયમો સમજવા અને તેનો અમલ કરવો સરળ બનાવવાનો અને નિયમનકારી બોજ ઘટાડવાનો છે.

નિયમનકારી માળખામાં ફેરફાર :
આ નવા માસ્ટર ડાયરેક્શન્સ દ્વારા અગાઉના 628 સર્ક્યુલર્સ, જેમાં માસ્ટર સર્ક્યુલર્સ અને અગાઉના માસ્ટર ડાયરેક્શન્સનો સમાવેશ થાય છે, તેને એક સુવ્યવસ્થિત માળખામાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દ્વારા સુપરવાઈઝરી સૂચનાઓ માટે એક જ સંદર્ભ બિંદુ ઊભું કરવામાં આવ્યું છે, જે સમગ્ર રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં સુસંગતતા લાવશે.

કયા ક્ષેત્રો પર થશે અસર :
આ સુધારા હેઠળ 11 કેટેગરીની નિયંત્રિત સંસ્થાઓને આવરી લેવામાં આવી છે. જેમાં કોમર્શિયલ બેંકો, NBFC, અર્બન અને રૂરલ કો-ઓપરેટિવ બેંકો, RRB, સ્મોલ ફાઈનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ, ઓલ-ઈન્ડિયા ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ, 628 સુપરવાઈઝરી સર્ક્યુલર તાત્કાલિક અસરથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

ભાવિ દિશા :
RBI એ સ્પષ્ટતા કરી છે કે આ ફેરફારોથી અગાઉથી ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહી કે પ્રક્રિયાઓ પર કોઈ અસર નહીં થાય. જે કાર્યવાહી જૂના સર્ક્યુલર હેઠળ શરૂ થઈ ચૂકી છે, તે તે સમયે અમલી રહેલા નિયમો મુજબ જ આગળ વધશે. આ માસ્ટર ડાયરેક્શન્સના અંતિમ અમલીકરણ પહેલાં, RBI એ એપ્રિલમાં પબ્લિક ફીડબેક માટે ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો, જેમાં મળેલી 767 ટિપ્પણીઓ અને સૂચનોને ધ્યાનમાં રાખીને આ ફ્રેમવર્કને વધુ સ્પષ્ટ બનાવવામાં આવ્યું છે.

Spread the love

Most Popular