RBI એ ક્રિપ્ટોકરન્સી સંબંધિત જોખમો અંગે ફરીથી સાવચેતીનો આગ્રહ રાખ્યો છે. સરકારી અહેવાલો મુજબ, ક્રિપ્ટોકરન્સી માટેની નીતિ “પ્રતિબંધ તરફ ઝુકાવ” ધરાવતી હોવી જોઈએ તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે જ ટેક્સ વિભાગે પણ ચેતવણી આપી છે કે વિદેશી એક્સચેન્જ દ્વારા થતા વ્યવહારો પર નજર રાખવી મુશ્કેલ છે.
બજારના મુખ્ય પરિબળો :
- RBI એ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ક્રિપ્ટો એસેટ્સ અને સ્ટેબલકોઈન્સમાં રોકાણ કે ટ્રેડિંગ કરતા રોકવા માટે મજબૂત સૂચનો આપ્યા છે.
- ભારતમાં હાલમાં અંદાજે ૩૯ મિલિયન ક્રિપ્ટો રોકાણકારો છે, જેમની પાસે અંદાજે ૨ અબજ ડોલરની અસ્કયામતો છે.
- સ્ટેબલકોઈન્સના વધતા ઉપયોગથી દેશની નાણાકીય સ્થિરતા અને સાર્વભૌમત્વ સામે જોખમ વધી શકે છે.
ટેક્સ વિભાગની ચિંતા :
ટેક્સ વિભાગના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ક્રિપ્ટો વ્યવહારોમાં ટેક્સ ચોરીનું જોખમ યથાવત છે. અહેવાલ મુજબ, ૬,૪૫,૦૦૦ થી વધુ લોકોએ ક્રિપ્ટો વ્યવહાર કર્યા હોવા છતાં, તેમાંથી માત્ર ચોથા ભાગના લોકોએ જ ટેક્સ રિટર્નમાં તેની જાણ કરી હતી. વિદેશી એક્સચેન્જ અને પ્રાઇવેટ વોલેટ્સના ઉપયોગને કારણે ટેક્સની વસૂલાત કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં સરકાર ક્રિપ્ટો એસેટ્સ પર કડક નિયમો લાવી શકે છે. ટેકનિકલ દૃષ્ટિકોણથી જોતા, ક્રિપ્ટો માર્કેટમાં અત્યારે ખૂબ જ વોલેટિલિટી જોવા મળી રહી છે. સરકાર ઇનોવેશન અને નાણાકીય સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ RBI ના આગ્રહને કારણે કડક નિયંત્રણો આવવાની શક્યતા વધી ગઈ છે.






