HomeBusiness News - RightRBI ગવર્નરનો વિશ્વાસ : મધ્યમથી લાંબા ગાળે વ્યાજદર નીચા રહેવાની શક્યતા...!!!

RBI ગવર્નરનો વિશ્વાસ : મધ્યમથી લાંબા ગાળે વ્યાજદર નીચા રહેવાની શક્યતા…!!!

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે દેશમાં મોંઘવારી મર્યાદિત રહેતાં મધ્યમથી લાંબા ગાળે વ્યાજદર નીચા સ્તરે જળવાઈ શકે છે. નીતિ વ્યાજદર ૫.૨૫% પર યથાવત રાખ્યા બાદ મીડિયા સંબોધનમાં તેમણે અર્થતંત્રની સ્થિરતા અને વૃદ્ધિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં RBI દ્વારા વ્યાજદર યથાવત રાખવાના નિર્ણય બાદ વોલેટિલિટી યથાવત રહી છે. જીઓપોલિટિકલ તણાવ, કાચા તેલના ભાવમાં વધારાથી તેમજ કરન્સી બજારમાં દબાણને કારણે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેસ્ટ એશિયા વિસ્તારમાં સ્થિરતા બાદ પણ ક્રૂડ બજારમાં પસંદગીયુક્ત ધોવાણ યથાવત છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેગમેન્ટમાં રેન્જ બાઉન્ડ ચાલ યથાવત રહેવાની શક્યતા છે. RBIના નિવેદન બાદ ઈન્ડેક્સ રેઝિસ્ટન્સ ઝોન નજીક સ્થિર થયો છે, પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલીનો દોર ચાલુ રહી શકે છે. ઘટાડે તબક્કાવાર ખરીદીનું વલણ યથાવત છે, કારણ કે વ્યાજદરમાં તાત્કાલિક વધારો થવાની શક્યતા ઓછી છે.

ભાવિ દિશા :

મલ્હોત્રાએ જણાવ્યું છે કે GDP વૃદ્ધિ દર આશરે ૬.૯% રહેવાની અપેક્ષા છે, જ્યારે મોંઘવારી ૪.૬%ની સપાટીએ રહેવાની આશા છે. બજાર લાંબા ગાળે બુલિશ બાયસ તરફ આગળ વધી શકે છે, પરંતુ સાવચેતી જરૂરી રહેશે. આગામી દિવસોમાં બજાર રેન્જ બાઉન્ડ વલણ સાથે સ્થિર રહી શકે છે. ક્રૂડના ભાવ અને કરન્સી મૂવમેન્ટ આગામી સેશન્સમાં બજારની દિશાને અસર કરશે.

રોકાણ રણનીતિ :

ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જાળવવું આવશ્યક રહેશે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ ચાલુ રાખવી સલાહભર્ય છે. ક્વોલિટી બેન્કિંગ અને ફાઇનાન્સિયલ શેરોમાં મર્યાદિત પોઝિશન જાળવી રાખવી યોગ્ય રહેશે, કારણ કે RBIની નીતિ મુજબ વ્યાજદરમાં તાત્કાલિક કોઈ બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન શક્ય નથી.

Spread the love

Most Popular