વર્તમાન કારોબારી સેશનમાં આઈસીઆઈસીઆઈ બેંક સંબંધિત એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જેમાં સેબી દ્વારા બેંકને સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે. એફપીઆઈ દ્વારા વી.આર.આર. અંતર્ગત ફરજીયાત રિટેન્શન સમય પૂરો થયા પહેલા ફંડ પરત ખેંચવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમાચાર બાદ બેંકિંગ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહી છે અને સાવચેતીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટ ભાગીદારો હવે આગામી નિયમનકારી પગલાઓ પર નજર રાખી રહ્યા છે.
બેંકના નિવેદન મુજબ આ મામલો માત્ર તેની કસ્ટોડિયન સેવાઓ સાથે જોડાયેલો છે અને તેના નાણાકીય પરફોર્મન્સ અથવા અન્ય ઓપરેશન્સ પર કોઈ નકારાત્મક અસર થવાની નથી.
કંપની વિશે :
આઈસીઆઈસીઆઈ બેંકે જણાવ્યું છે કે સેબીનું ચેતવણી પત્ર તા. ૧ જૂન ૨૦૧૨૬નાં રોજ જારી થયું અને બેંકને તે તા. ૨ જૂનનાં રોજ પ્રાપ્ત થયું. નિયમોના પાલનમાં થયેલી આ ક્ષતિને બેંકે ‘આંતરિક વિલંબ’ તરીકે ગણાવી છે. બેંકે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દો તેની કસ્ટોડિયલ સેવાઓ પૂરતો મર્યાદિત છે અને અન્ય કોઈ બિઝનેસ ઓપરેશન પર તેનો પ્રભાવ નહીં પડે.
બજારના મુખ્ય પરિબળો :
• બેંકિંગ સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું
• સેબી અને આરબીઆઈના નિયમોના ઉલ્લંઘનથી રોકાણકારો વચ્ચે સાવચેતીનું વલણ
• વોલેટિલિટી યથાવત, જેના કારણે ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે અનિશ્ચિતતા યથાવત
• વી.આર.આર. સંબંધિત કેસોને લઈને અન્ય બેંકો પર પણ નજર કેન્દ્રિત
સેક્ટર દૃષ્ટિકોણ :
બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેગમેન્ટમાં મર્યાદિત વેચવાલી જોવા મળી રહી છે. ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી કેટલાક સંસ્થાગત રોકાણકારો દ્વારા થઈ રહી છે. ક્વોલિટી બેંકિંગ શેરોમાં રોકાણકારો લાંબા ગાળાની પોઝિશન જાળવી રહ્યા છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ આઈસીઆઈસીઆઈ બેંક માટે નજીકના દિવસોમાં રેઝિસ્ટન્સ ઝોન મહત્વનો રહેશે. જો શેરમાં બ્રેકડાઉન ટળે તો ફરી મજબૂત ક્લોઝિંગ શક્ય છે. નીચેની તરફ સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં બેંકિંગ સેગમેન્ટમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ રહેવાની સંભાવના છે. નિયમનકારી સંસ્થાઓની આગામી કાર્યવાહી અને વૈશ્વિક વલણો બજારની દિશાને અસર કરી શકે છે. રોકાણકારો માટે સાવચેતીપૂર્વક પગલાં લેવાની ભલામણ કરવામાં આવે છે.





